11/09/2026
‘વંદે માતરમ્’ના 150 વર્ષ : રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ
‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે આણંદ ભાજપ યુવા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ (ઓટોનોમસ)ના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલે વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ્’ ગીતના ઐતિહાસિક મહત્ત્વ, તેની રચનાની પશ્ચાદભૂમિ તથા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેની પ્રેરણાદાયી ભૂમિકા વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વાતંત્ર્યની ભાવનાનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ – યુવા મોરચા જિલ્લા મહામંત્રી, ધ્રુમિલ મહેતા – કારોબારી સભ્ય, જયેન્દ્ર પટેલ – આણંદ શહેર ભાજપ મહામંત્રી, ક્રિષ્નાબેન ભટ્ટ – જિલ્લા યુવા મોરચા ઉપ-પ્રમુખ, હિમાંશુભાઈ જીલેટવાલ – જિલ્લા કાર્યાલય મહામંત્રી, યુવા મોરચા તથા જાતિન પટેલ – જિલ્લા કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
‘વંદે માતરમ્’ના 150 વર્ષની આ ઉજવણી નવી પેઢીને આપણા સ્વાતંત્ર્યસંગ્રામના ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્રભાવનાના મૂળ સાથે જોડવાનું એક સુંદર માધ્યમ બની.
વંદે માતરમ્!
ભારત માતા કી જય!