Maharaja Krishnakumarsinhji Bhavnagar University

Maharaja Krishnakumarsinhji Bhavnagar University M.K. Bhavnagar University page

*વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કર્યું “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન...
15/01/2026

*વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કર્યું “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ*

*ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)* અને *વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ)* ના સહયોગથી *“સ્પેસ ઑન વ્હીલ્સ”* નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, આ મ્યુઝિયમનું ભાવનગર ખાતે ઉદ્ઘાટન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલગુરુશ્રી ડૉ. ભરતભાઈ રામાનુજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મ્યુઝિયમ તા.૧૧ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન ભાવનગરની અલગ અલગ શાળાઓમાં રોકાણ.કરેલ જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.
“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે. આ ઉપરાંત *ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર*ની *ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ* અને *ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)* ની એક્ઝિબીશન બસોની ઉપસ્થિતિ રહી.
આ મોબાઇલ પ્રદર્શન બસો જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાત રાજયની અલગ અલગ શાળાઓ અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે. આ કાર્યક્રમમાં શ્રી મનસુખભાઈ નાકરાણી, શિક્ષણવિદ તેમજ જ્ઞાનમંજરી સંસ્થાઓના શિલ્પી, શ્રી એચ એમ નિમ્બાર્ક, પ્રોવોસ્ટ, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર, ડૉ. આસ્તિકભાઇ ધાંધીયા, સહસચીવ, ગુજરાત પ્રાંત, વિજ્ઞાન ગુર્જરી, શ્રી મુંજાલભાઈ ભટ્ટ, જિલ્લા સંયોજક, વિજ્ઞાન ગુર્જરીની ઉપસ્થિતિ રહી હતી. કુલગુરુ ડો. ભરતભાઈ રામાનુજ દ્વારા ઉક્ત કાર્યક્રમ માટે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.

યુનિવર્સીટી કેમ્પસમાં આંતરિક રસ્તાઓના રોડ રી- કાર્પેટીંગની કામગીરી શરુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ખાતેન...
10/12/2025

યુનિવર્સીટી કેમ્પસમાં આંતરિક રસ્તાઓના રોડ રી- કાર્પેટીંગની કામગીરી શરુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા ગાંધી કેમ્પસ ખાતેના આંતરિક રસ્તાઓના રોડ રી-કારપેટીંગની કામગીરી શરુ કરવામાં આવેલ છે. આજરોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ના સદસ્યશ્રી ડો. ડી.આર.ગોધાણી તેમજ એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સદસ્યશ્રી ડી.બી. ચુડાસમા, નાયબ કાર્યપાલક ઈજનેરની ઉપસ્થિતિમાં ગાર્ડી ગેઇટ ખાતે કામગીરીનું મુહુર્ત કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુનીવર્સીટીના કુલગુરુ ડો. ભરતભાઈ રામાનુજના માર્ગદર્શન તળે યુનીવર્સીટીના આંતરિક રોડ સત્વરે બને તે માટે સતત પ્રયત્નશીલ રહેતા આજરોજ યુનીવર્સીટીના આંતરિક રોડ રી કાર્પેટ માટેની કામગીરીનો આરંભ થઇ શક્યો છે. આ રોડ બનવાથી બંને કેમ્પસમાં ખુબજ મોટી સંખ્યામાં અવાર જવર કરતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ શહેરીજનોને સીધો લાભ મળશે.

ગુજરાતના પનોતાપુત્ર અને અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ની ઉજવણી અંતર્ગત 105-ભાવનગર પ...
17/11/2025

ગુજરાતના પનોતાપુત્ર અને અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ની ઉજવણી અંતર્ગત 105-ભાવનગર પશ્ચિમ ક્ષેત્રમાં જશોનાથ સર્કલથી ચિત્રા મસ્તરામ બાપુના મંદિર સુધીની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી.

આ પદયાત્રા દ્વારા સરદાર સાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પદયાત્રામાં ભારત સરકારશ્રીના મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા, ગુજરાત સરકારશ્રીના કેબિનેટ મંત્રીશ્રી અને ૧૦૫-ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા,ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ધવલભાઈ દવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. ભરતભાઈ બી. રામાનુજ, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, આઈ.આઈ.ટી.ઈ.ના કુલપતિશ્રી ડૉ. આર. સી. પટેલ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. તુલજાશંકર જોશી, ભાવનગરના પ્રભારી મંત્રી, ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષ બંસલ, કમિશ્નરશ્રી ભાવનગર સહિતના અધિકારીશ્રીઓ તેમજ કલાકારોમાં માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી અને સંતગણ પણ જોડાયા હતાં.

આ પવિત્ર પદયાત્રામાં યુનિવર્સિટીના અધિકારીગણ, કર્મચારીવર્ગ, તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સરદાર સાહેબના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના દિવ્ય આદર્શોને શ્રદ્ધાભરી વંદના અપર્ણ કરવામાં આવી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ માનનીય કુલપતિ શ્રી ડૉ. ભરતભાઈ બી. રામાનુજની ...
12/11/2025

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ માનનીય કુલપતિ શ્રી ડૉ. ભરતભાઈ બી. રામાનુજની અધ્યક્ષતામાં ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યુનિવર્સિટીની વિવિધ નાણાકીય અને હિસાબી બાબતો અંગે વિગતવાર ચર્ચા તથા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા.

*ગુજરાત રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ  કોલેજની કેટેગરીમાં GCAS એડમિશન સર્વિસ એક્સલન્સ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવતી શામળદાસ આર...
12/11/2025

*ગુજરાત રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ કોલેજની કેટેગરીમાં GCAS એડમિશન સર્વિસ એક્સલન્સ એવોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવતી શામળદાસ આર્ટસ કોલેજ*

જીકાસની વર્ષ ૨૫-૨૬ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન શામળદાસ આર્ટસ કોલેજ ને GCAS સેન્ટર ફાળવાયું હતું જ્યાં મહત્તમ વિદ્યાર્થી વાલીઓના પ્રશ્નોનું ઝડપી સરળ સમાધાન કરાયું હતું. જે બદલ રાજ્યમાં ગ્રાન્ટ ઇન એડ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જીકાસ એડમીશન એક્સલન્સ એવોર્ડ અપાયો હતો.

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શે. વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવવા બદલ જીકાસ-એડમિશન સર્વિસ એક્સેલન્સ એવોર્ડ મળેલ છે તથા પ્રવેશ પ્રક્રિયામાં સરાહનીય કામગીરી કરનાર કોલેજના કર્મચારીઓને પ્રથમ સ્ટાર જીકાસ-વોલીન્ટીયરનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા બદલ વિશ્વવિદ્યાલયના કુલગુરુ ડૉ. ભરતભાઈ રામાનુજ દ્વારા શામળદાસ કોલેજના GCAS નોડલ ઓફિસર, આચાર્યશ્રી સહિત સમગ્ર ટીમને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે માનનીય કુલપતિ ડૉ. ભરતભાઈ બી. રામાનુજની અધ્યક્ષતામાં ફેકલ્ટી ડીન, વિષયના...
10/11/2025

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે માનનીય કુલપતિ ડૉ. ભરતભાઈ બી. રામાનુજની અધ્યક્ષતામાં ફેકલ્ટી ડીન, વિષયના ચેરમેન, ભવનના વડાશ્રીઓ, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના કો-ઓર્ડિનેટર્સ, અને વિવિધ કોલેજૉના આચાર્યશ્રી સાથે બેઠક યોજાઈ. બેઠકમાં યુનિવર્સિટીની આગામી સમયમાં યોજાનાર વિવિધ પરીક્ષાઓના પરિણામો ઝડપી અને સમયસર જાહેર થાય તે માટે આગોતરૂ આયોજનના ભાગરૂપે મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવેશભાઈ જાની સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મહત્વપૂર્ણ સૂચના! 📚મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ રિસ...
10/11/2025

મહત્વપૂર્ણ સૂચના! 📚

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ રિસોર્સ હબ લોન્ચ કરવામાં આવ્યું છે! 🚀

શું મળશે?

· અભ્યાસક્રમ અનુસારની સામગ્રી
· પ્રશ્નબેંક અને મોડેલ જવાબો
· બ્રિજ કોર્સ સામગ્રી
· કેમ્બ્રિજ વોકેબ્યુલરી કોર્સ

ઉપયોગ કેવી રીતે કરવો?

· QR કોડ સ્કેન કરો અથવા
· વેબસાઇટ પર જાઓ:
https://sites.google.com/mkbhavuni.edu.in/english/

આ પહેલ NEP 2020 અંતર્ગત શિક્ષણની ગુણવત્તા સુધારવા અને તકનીકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ઉત્તમ સંસાધનો પૂરા પાડવા માટે છે.

તા. ૧૧ નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં આ સંસાધનોનો લાભ ઉઠાવો! 📖✨

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં  West Zone NSS pre Republic Day Parade Camp 2025 ના સમારોહ માં ઉપસ્થિત ર...
10/11/2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં West Zone NSS pre Republic Day Parade Camp 2025 ના સમારોહ માં ઉપસ્થિત રહેવાનું થયું જેમાં HNGU ના કુલપતિ ડો કે સી પોરિયાસાહેબ NSS પ્રાદેશિક નિયામક ડો કમક કુમાર કર HNGU ના NSS કો ઓર્ડીનેટર ડો કમલેશભાઈ ઠક્કર તેમજ વિવિધ રાજ્યોનાં 200 NSS સ્વયં સેવકો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતાં.

વંદેમાતરમ્ @150રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે મહ...
07/11/2025

વંદેમાતરમ્ @150

રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્"ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશમાં ચાલી રહેલ ઉજવણીના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજે બે અલગ અલગ કાર્યક્રમો દ્વારા આ ગીતની ૧૫૦મી વર્ષગાંઠ ઉજવવામાં આવી.

તારીખ ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ ટ્રેનની મુસાફરી દરમ્યાન કવિશ્રી બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા વંદે માતરમ્ ગીતરચના પૂર્ણ કરવામાં આવેલ. આ ઐતિહાસિક ઘટનાને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોઈને રાજ્યસરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ સમગ્ર રાજ્યમાં સવારે ૯-૩૦ કલાકે સંપૂર્ણ વંદે માતરમ્ ગીતનાં સમૂહગાનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ હતા, જેના ભાગરૂપે નવા કોર્ટ હૉલ ખાતે આજે સવારે ૯-૩૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં કુલપતિશ્રી ડૉ. ભરત રામાનુજ તેમ જ યુનિવર્સિટી સત્તામંડળોના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર પરિસરના અધિકારીઓ, કર્મચારીઓ અને અધ્યાપકો દ્વારા વંદે માતરમ્ સમૂહગાન કરવામાં આવ્યા બાદ સ્વદેશી વસ્તુઓના વપરાશ માટેના શપથ લેવડાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫૦ જેટલા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ જોડાયેલ હતા. આ કાર્યક્રમમાં ડૉ. મીતાબહેન વ્યાસે વંદેમાતરમ્ ગીતની વિભાવનાને અભિવ્યક્ત કરતા એનો સરળ ગુજરાતી તરજુમો રજૂ કર્યો હતો. કુલપતિશ્રીએ આ અવસરે વંદેમાતરમ્ ગીતની ઉત્પત્તિ અને સ્વાતંત્ર્ય ચળવળમાં આ ગીતની ભૂમિકા વિશે પ્રાસંગિક વાતો કરેલ હતી. આ પ્રસંગે જાણીતી સ્વાતંત્ર્ય સેનાની ત્રિપુટી લાલ, બાલ અને પાલ પૈકીના શ્રી બિપીનચંદ્ર પાલની પણ આજે જન્મજયંતિ હોઈને એમના પ્રદાનને પણ ખાસ યાદ કરવામાં આવેલ.

ત્યાર બાદ બપોરે ૩ કલાકે અટલ ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે વિવિધ કોલેજો અને ભવનોના ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમ જ યુનિવર્સિટી કેમ્પસના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની હાજરીમાં કુલપતિશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં અતિથિ વક્તા તરીકે પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી ડૉ. હરેશ નાવડિયા, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યશ્રી નિયતિબેન પંડ્યા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે પોતાના વિશેષ વક્તવ્યમાં માન.શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ આટલાં વર્ષો બાદ આ વંદે માતરમ્ ગીતને મળી રહેલા ઉચિત સન્માનને બિરદાવીને આનંદમઠ નવલકથાના સંદર્ભો, એમાં ઉપયોગમાં લેવાયેલ આ ગીતની ભૂમિકા, દેશની સ્વાધીનતાની લડાઈમાં અંગ્રેજ શાસન સામેના વિરોધ પ્રદર્શન દરમ્યાન આ ગીતની પ્રાસંગિકતા વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપવાની સાથે જ શ્રી સરદારસિંહ રાણા અને મેડમ કામા સહિતના સ્વાતંત્ર્યવીરોનાં યોગદાનનું સ્મરણ કરેલ હતું.

આ પ્રસંગે શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ મેડમ ભિખાઈજી કામા અને શ્રી સરદારસિંહ રાણા દ્વારા નિર્મિત અને વિશ્વની ધરતી પર પ્રથમ વખત ફરકાવવામાં આવેલ ભારતીય ધ્વજ વિશે વિગતો આપેલ હતી. જર્મનીના સ્ટટગાર્ટ ખાતે તારીખ 22 ઓગસ્ટ, 1907 માં આંતરરાષ્ટ્રીય સોશ્યલિસ્ટ કોંગ્રેસના અધિવેશનમાં આ ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજને અત્યારે ‘સપ્તર્ષિ ઝંડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ટોચની પટ્ટીનો રંગ કેસરી, વચ્ચે પીળો અને નીચે લીલો રંગ હતો. આ ઉપરાંત એમાં વંદે માતરમ્ લખાણ સાથે સાત તારા સપ્તર્ષિનું પ્રતીક અને સૂર્ય-ચંદ્રના પ્રતીકો સામેલ હતા. એ વખતે કુલ ત્રણ એકસરખા ધ્વજ બનાવવામાં આવેલ જે પૈકી એક ધ્વજ આજે પુણેની મરાઠા અને કેસરી લાઈબ્રેરીમાં રાખવામાં આવ્યો છે. બીજો શ્રી સરદારસિંહજી રાણાના પ્રપૌત્ર તરીકે શ્રી રાજેન્દ્રસિંહ રાણા પાસે સચવાયેલો છે, જે આજે એમણે અને એમના સુપુત્રએ સહુની સમક્ષ પ્રદર્શિત કરેલ હતો. એવું માનવામાં આવે છે કે આમાંનો ત્રીજો ધ્વજ મેડમ કામાના સંદિગ્ધ મૃત્યુ વેળાએ અંગ્રેજો દ્વારા કબજે લેવામાં આવેલ સામાનમાં સામેલ હોવાની સંભાવના છે. દેશના સર્વપ્રથમ રાષ્ટ્રધ્વજની ઝાંખી કરવી એ ઉપસ્થિત સહુને ગૌરવની ક્ષણ બની રહી હતી.

આ કાર્યક્રમમાં પણ સ્વદેશી વસ્તુઓના વપરાશ થકી દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સામૂહિક શપથ લેવડાવવામાં આવેલ. કુલપતિશ્રીએ અધ્યક્ષસ્થાનેથી વક્તવ્ય દરમ્યાન ૧૯૯૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ દ્વારા સેનેટ સભાના પ્રારંભે વંદે માતરમ્ ગાન કરવા માટે તેમણે મૂકેલ પ્રસ્તાવ અને એને મળેલ સંમતિ વિશે વાત કરતા ભૂતકાળને વાગોળ્યો હતો અને આ ગીતનું દેશવાસીઓનાં હૈયામાં જે ગૌરવભર્યું સ્થાન છે તેનો ખાસ ઉલ્લેખ કરેલ હતો. મોટી સંખ્યામાં યુવાન વિદ્યાર્થીઓને વંદે માતરમ્ ગીતના સંપૂર્ણ પાઠથી વાકેફ થવાનો મજાનો અવસર પ્રાપ્ત થવા બદલ પણ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરેલ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સેવા યોજનાના સંયોજક ડૉ. ભારતસિંહ ગોહિલ દ્વારા શાબ્દિક સ્વાગત અને ઈનચાર્જ કુલસચિવશ્રી ડૉ. ભાવેશ જાની દ્વારા આભારદર્શન કરવામાં આવેલ. બંને કાર્યક્રમોનાં સુચારુ સંચાલન અને સંકલન પ્રા. હિમલ પંડ્યા દ્વારા કરવામાં આવેલ હતાં.




#વંદે_માતરમ્
#वंदे_मातरम्

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા. ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ માનનીય કુલપતિશ્રી ડૉ. ભરતભાઈ બી. રામાનુજની અધ...
03/11/2025

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા. ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ માનનીય કુલપતિશ્રી ડૉ. ભરતભાઈ બી. રામાનુજની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં વહિવટી સુધારણા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, વિચાર-વિમર્શ અને મંથન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં કાર્યકારી કુલસચિવશ્રી ડૉ. ભાવેશભાઈ જાની, યુનિવર્સિટીના વિભાગના વડાશ્રી, ખાસ ફરજ પરના અધિકારીશ્રી તથા વિભાગીય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ...
31/10/2025

આજરોજ રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ દ્વારા ભારતની એકતા અને અખંડિતતા પ્રત્યેના એમના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવ્યું.

દેશની આઝાદી વખતે ૫૬૫ જેટલાં રજવાડાંઓને જોડીને એક અખંડ અને સાર્વભૌમ રાષ્ટ્રના નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકા સહુથી મહત્વની હતી. સાથોસાથ એમના આહવાનને તરત જ પ્રતિસાદ આપીને સૌપ્રથમ ભાવનગર રાજ્યને દેશની સેવામાં અર્પણ કરનાર પુણ્યશ્લોક મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પણ કેમ ભૂલાય!

આજે કેમ્પસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહારથી અંજલિ આપવામાં આવી, જેમાં કુલપતિશ્રી પ્રો. ડૉ. ભરત રામાનુજ, ઈનચાર્જ કુલસચિવશ્રી ડૉ. ભાવેશ જાની, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજના આચારશ્રીઓ, અધ્યાપકો, યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજના યજમાનપદે આયોજિત આ કાર્યક્રમ બાદ કોલેજના ઈનચાર્જ આચાર્યશ્રી ડૉ. હર્ષુલ પરીખના આમંત્રણથી ફાર્મસી કોલેજ ખાતે ઔપચારિક બેઠક અને અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના વર્ષમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવનાર વિવિધ આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવી. નજીકના ભવિષ્યમાં સરદારકથા, સરદારના પત્રોનું વાંચન, સરદાર પટેલના જીવનપ્રસંગો પર આધારિત નાટકનું મંચન જેવા કાર્યક્રમો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

સહુને રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ.




#એકતા_દિવસ

Address

Maharaja Krishnakumarsinhji Bhavnagar University , Gaurishanker Lake Road
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Maharaja Krishnakumarsinhji Bhavnagar University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Maharaja Krishnakumarsinhji Bhavnagar University:

Share