20/02/2026
વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇ દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ડો. રતિભાઈ એમ પટેલના અવસાન નિમિતે તા. 20/02/2026 ના રોજ શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભાનો અહેવાલ
તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ, ડભોઇ ખાતે ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.ડો. રતિભાઈ એમ પટેલના દુખદ અવસાન નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શોકસભા યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.
મંડળના હોદેદારો, સભ્યો, શિક્ષણપ્રેમી નાગરિકો તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સ્વ. ડો. રતિભાઈ એમ પટેલના શિક્ષણક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન, નેતૃત્વક્ષમતા અને સેવાભાવી સ્વભાવને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે સ્વ. ડો. રતિભાઈ એમ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન મંડળના વિકાસ માટે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ અનેક શૈક્ષણિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓને નવી દિશા મળી હતી. તેમના નિધનથી શિક્ષણ જગતમાં અપુરણિય ખોટ પડી છે.
શોકસભા દરમિયાન બે મિનિટનું મૌન પાળી સ્વ. આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અંતમાં મંડળના પ્રતિનિધિ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.