09/09/2025
ઈતિહાસ-ગુજરાતી ભવન, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વ્યક્તિ વિશેષ વ્યાખ્યાન યોજાયું: ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા
ઇતિહાસ -ગુજરાતી ભવનના સંયુક્ત ઉપક્રમે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ, તાલાળાના પ્રિન્સીપાલ ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા સાહેબનું તારીખ: ૦૮/૦૯/૨૦૨૫ -ના રોજ વ્યાખ્યાન યોજાયું
માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ભવનના વિદ્યાર્થીઓમાં શિક્ષણ જગતની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય જળવાય એ માટે આજના શિક્ષણને કેન્દ્રમાં રાખી મનોવૈજ્ઞાનિક આધીન વિશેષ વ્યાખ્યાન યોજાયુ... કાર્યક્રમની શરૂઆત ગુજરાતી અને ઐતિહાસિક ભવનના અધ્યક્ષની ડૉ. વિશાલ જોષી પ્રેરિત દર્શિત ગુજરતીએ માનસિક સ્વાસ્થ્ય, ટ્રેસ, ચિંતા અને સાહેબનો પ્રાથમિક પરિચય આપ્યો હતો. અતિથિવિશેષનું સ્વાગત ઈતિહાસ-ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રો. વિશાલ જોષી સાહેબે કર્યું હતું.
સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ, તાલાળાના પ્રિન્સીપાલ ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા સાહેબે “વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય” વિષયને કેન્દ્રમાં રહીને ટ્રેસમાંથી કેમ ફ્રેસ રહેવું, ચિંતામાંથી નચિંત કેમ રહેવું, આપઘાતના વિચારનો સામનો કેમ કરવો... વગેરે વિષયને કેન્દ્રમાં સુંદર દૃષ્ટાંત અને મનોવૈજ્ઞાનિકોના નામ અને ઉદાહરણ સાથે સમજાવેલ...
આ તકે તેમણે અનેક આપઘાત નિવારણના દૃષ્ટાંત સાથે મળેલા જીવનને શ્રેષ્ઠ રીતે જીવવાના પથની વાત કરી હતી, પ્રાધ્યાપક ધારે તો શું કરી શકે? તેની સંભાવનાઓ પણ દર્શાવી. આ વ્યાખ્યાનમાળામાં ઈતિહાસ અને ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં તેમજ કાર્યક્રમની શરૂઆત ગુજરાતી અને ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડૉ. વિશાલ જોષી સાહેબે કરેલી હતી જયારે .. ગુજરાતી ભવનના વ્યાખ્યાતા ડૉ. પારુલ ભંડેરીએ આભારવિધિ કરેલી હતી. એ સાથે હાજર કર્મચારી તરીકે ડૉ. કિશોર વાળા અને પીએચ.ડી. સ્કોલર: દર્શિત ગુજરાતી, કાના ચાંડેલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.