31/08/2022
*વિશ્વ વ્હેલ શાર્ક દિવસ ઉજવણી*
રશિયા-યુક્રેન યુદ્ધ વિશ્વમાં ગરમાયેલું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં હજારો સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા છે. પરંતુ તેમાં અનેક નિર્દોષ જીવોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે આ યુધ્ધ માત્ર માણસ માટે જ નહીં પણ દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યુ છે. જૈવ વૈજ્ઞાનિક ઈવાન રુસેવનુ કહેવુ છે કે, આ યુધ્ધના કારણે હજજારો મોટી માછલીઓના મોત થયા છે.
રુસેવનુ કહેવુ છે કે, બ્લેક સીમાં તૈનાત જહાજો અને સબમરિનો આ મોતનુ કારણ બની રહ્યા છે. પાણીની અંદર મરનારી માછલીઓ પૈકીની પાંચ ટકા મૃતદેહ જ તણાઈને દરિયા કિનારે આવી રહ્યા છે. બાકીના મૃતદેહ દરિયામાં ડુબી રહ્યા છે. તેની ગણતરી શક્ય નથી. ખાલી અનુમાન લગાવી શકાય તેમ છે.
રુસેવના મતે જહાજો અને સબમરિનો પર સોનાર ફીટ કકરાયેલા છે. જેમાંથી એક ફ્રિકવન્સી નિકળે છે.જો કોઈ વસ્તુ આ ફ્રિકવન્સી વચ્ચે આવે તો તે જહાજના કે સબમરિનના રડારમાં જોવા મળે છે. આ સોનાર દુશ્મન દેશની સબમરિનોની જાસૂસી માટે હોય છે પણ તેનાથી પાણીમાં રહેલા જળચરોનુ સ્વાસ્થ્ય ખાબ થઈ રહ્યુ છે. આ જહાજો અને સબમરિનના રેડિએશનના સપાટામાં વ્હેલ શાર્ક માછલીઓ પણ આવી જાય છે અને તેમના અંગો નિષ્ક્રિય થવાથી તે પાણીમાં મોતને ભેટી શકે છે.
સોનારના રેડિએશનની સાથે સાથે જહાજના એન્જિનો અને હથિયારોના અવાજ પણ દરિયાઈ સૃષ્ટિ માટે સંકટ પેદા કરી રહ્યા છે. જેના કારણે તેની નેવિગેશનની ક્ષમતા પર પણ અસર પડી છે.
વ્હેલ શાર્ક માછલીઓ ની સંખ્યા ખૂબ ધટી રહી હોઈ છેલ્લા વિશ વર્ષથી wti પ્રોજેક્ટ તેને બચાવવા કાર્યરત છે. તા ૩૦/૮/૨૨ ના રોજ વિશ્વ વ્હેલ શાર્ક દિવસ ની ઉજવણી સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ, વ્હેલ શાર્ક પ્રોજેક્ટ, ગીર ફાઉન્ડેશન, વન વિભાગ અને ટાટા કેમિકલ્સ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતી. જેમાં અનેક મહાનુભાવો એ હાજરી આપેલ હતી તથા વૈવિધ્ય સભર વક્તવ્યો અપાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપુ ની અપીલ ધ્યાનમાં લઈ સાગર ખેડુ એ વ્હેલ શાર્ક માછલીઓ ને પોતાની દીકરી માનેલ છે તેમજ છેલ્લા અમુક વર્ષોમાં દશ હજાર થી વધુ માછલીઓ જીવંત રાખેલ છે.